કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ (બ્લડ સુગર લેવલ):
હવે ક્યારે બ્લડ સુગરની તપાસ કરાવવી જોઇએ? લોહીમાં ખોરાક, પ્રવૃત્તિ, કરસત, તાણ અને બીજા અનેક અન્ય પદાર્થની અસરથી બ્લડ ગ્લુકોઝ લેવલમાં વધઘટ થાય છે. આથી સુગર લેવલ માપવા માટેના વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ચોક્કસ માપદંડ નક્કી કરેલ છે. આ માપદંડ નક્કી કરવા ઉપરાંત ક્યા સમયે ગ્લુકોઝ લેવલ માપવું એનીપણ ચોકસાઇ રાખવી ખુબ જરૂરી છે.
ફાસ્ટીંગ બ્લડ સુગર લેવલ (એફ.બી.એસ.):
(ભૂખ્યા પેટે લોહીમાં સુગરની તપાસ)
સવારના કંઇપણ ખોરાક લીધા વગર (ચા-દૂધ-કોફી પણ નહીં) લોહીમાં સુગરની તપાસ કરવામાં આવે છે તેને એફ.બી.એસ. અથવા ફાસ્ટીંગ બ્લડ સુગર લેવલ કહે છે. આઠ કલાકથી ઓછો સમય છેલ્લે લીધેલ ખોરાક અને લોહી લેવા વચ્ચે ન જ ચાલે.