કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
૦૯. પી.પી.બી.એસ.
પોસ્ટ પ્રાન્ડીયલ બ્લડ સુગર (પી.પી.બી.એસ.):
જમ્યા પછી બ્લડ સુગર લેવલ ખુબ વધી જાય છે. કારણ કે જમ્યા પછી ખોરાકમાં રહેલ ગ્લુકોઝ લોહીમાં ભળે છે. આ ઉંચા બ્લડ ગ્લુકોઝ લેવલને પહોંચી વળવા પેનક્રીઆઝ (સ્વાદુપિંડ) ઈન્સ્યુલીનનો સ્ત્રાવ કરે છે જે લોહીમાં ભળે છે. આ ઈન્સ્યુલીન શરીરના દરેક કોષના દરવાજા ઈન્સ્યુલીન માટે ખોલી નાંખે છે.
આથી ગ્લુકોઝ શરીરના અલગ અલગ કોષમાં પહોંચી જાય છે. હવે જે વ્યક્તિને ડાયાબિટીસ હોય છે તેના શરીરમાં ઈન્સ્યુલીન બહુ ઓછો બને છે અથવા બનતો જ નથી. તેથી લોહીમાં જમ્યા પછી ભળેલ ગ્લુકોઝ લોહીમાં જ રહે છે અને જમ્યા પછીનું ગ્લુકોઝ લેવલ ઉંચું આવે છે.
પી.પી.બી.એસ. જમ્યા પછી બે કલાકે લેવામાં આવે છે. અહીં બે કલાકથી વધુ વખત થઇ જાય તો ગ્લુકોઝના રીડીંગમાં ફરક પડી જાય છે. આથી જમ્યા પછીના પોણા બે કલાકે લેબોરેટરીમાં પહોંચી જવાનું અમે દર્દીને જણાવીએ છીએ. એમ.ડી.પાસ કર્યા પછી કામ કરવાનું શરૂ કર્યું તે સમયે મારી પાસે એક ચુનીભાઇ નામના દર્દી આવ્યા. તેમણે પી.બી.એસ.વિશે અનેક સવાલ કરી લીધા. જમવાનો ક્યો સમય નોંધવો? જમ્યા પહેલાનો કે જમ્યા પછીનો? વિ.વિ. તેથી મેં એમને સમજાવ્યું કે જમવાનું શરૂ કરો એટલે મોંઢામાંથી જ ગ્લુકોઝ લોહીમાં ભળવા લાગે છે. આથી તે સમય નોંધવો. બાર વાગ્યે જમવાનું શરૂ કરો તો બે વાગ્યે પી.પી.બી.એસ. લેવાનું હોય.
તે દિવસે જ બપોરે ચુનીભાઇ પી.પી.બી.એસ. (જમ્યા પછીની ગ્લુકોઝની તપાસ) માટે આવી ગયા. એટલે મેં એમનું લોહી લેવાની તૈયારી કરવા માંડી