કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
ડાયાબિટીસ : લેબોરેટરી તપાસ
ગ્લુકોમીટર સાધન અને તેનો વપરાશ
સામાન્ય રીતે લોહીમાં સ્યુગર માપવા માટે દર્દીએ લેબોરેટરી જવું પડે છે અને ત્યાં નસમાંથી થોડુ લોહી લઇ તેની તપાસ કરી અમુક સમય પછી રીપોર્ટ આપવામાં આવે છે. આ પદ્ધતિની અવેજીમાં, ઘેર બેઠા ગ્લુકોઝ માપી શકાય તેવા નાનાં સાધનો મળે છે જેને ગ્લુકોઝમીટર તરીકે ઓળખવામાં આવે છે.
આ સાધનનો વપરાશ કરવા, તેની પટ્ટીને દર્દી દ્વારા મશીનની અંદર મુકવામાં આવે છે અને પછી દર્દી પોતે સોય જેવી તીક્ષ્ણ સાધનથી, આંગળીના વેઢામાંથી માત્ર એક ટીપુલોહીલેછેઅને પટ્ટી પર મૂકે છે. આટલુ કરતા. તુરંત અમુક સકડોમાં બ્લડ ગ્લુકોઝનો આંકડો આવી જાય છે. આમ તો ડાયાબિટીસના બધાં દર્દીઓને આ સાધન ઉપયોગી છે પણ તેનો ખાસ ઉપયોગ અમુક પરિસ્થિતિમાં છે.
જેવા કે....
(૧) ટાઇપ-૧ ડાયાબિટીસના દર્દીઓ.
(ર) ટાઇપ-ર ડાયાબિટીસનાં એવા દર્દીઓ કે જેમાં સુગરની વધઘટ વધારે થાય છે.