કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
૧૩. પેશાબની તપાસ
ડાયાબિટીસમાં પેશાબની તપાસ
યુરીન સુગર ટેસ્ટ :-
ડાયાબિટીસનું પ્રાથમિક લક્ષણોમાં વધુ અને વારંવાર પેશાબ થવો અને "મીઠો" અથવા ખાંડ વાળો પેશાબ થવો. બન્નેનો સમાવેશ થાય છે.
ડાયાબિટીસના દર્દી માટે પેશાબની તપાસ યુરીનમાં બોળવાની પટ્ટી વડે થઇ શકે છે. સામાન્ય રીતે પેશાબમાં સુગર હોતી નથી પણ જ્યારે લોહીમાં સુગર ૧૮૦ થી વધારે થઇ જાય ત્યારે પેશાબમાં સુગર આવે છે. જેનું પ્રમાણ +, ++ + + +, + + + +, એમ માપવામાં આવે છે.
આ પદ્ધતિ સરળ અને સસ્તી હોય છતાં, બિલકુલ ચોક્કસ નથી. ખાસ કરીને જેમ ડાયાબિટીસને વધુ વર્ષે થાય, એવું જોવા મળે છે કે લોહીમાં સાકર વધારે હોય પર પેશાબમાં ન જોવા મળે અથવા એથી ઉંધુ થાય.
આ કારણોથી ડાયાબિટીસના કંટ્રોલ વિષે જાણવા માટે હવે યુરીને સુગર ટેસ્ટનો ઉપયોગ થતો નથી.
યુરેન સ્યુગર ટેસ્ટ :-
જ્યારે ડાયાબિટીસ કાબુમાં ન હોય ત્યારે શરીરમાં એક પ્રકારનું ઝેર ઉત્પન્ન થાય છે જેને એસીટોન તરીકે ઓળખવામાં આવે છે. આવે વખતે પેશાબમાં પટ્ટી બોળી નિદાન થઇ શકે છે. ખાસ કરીને ડાયાબિટીસ ટાઇપ-૧ના દર્દીઓમાં શરીરમાં એસીટોન (કીટોએસીડોસીસ) એ એક મેડીકલ ઇમરજન્સી છે જેની હોસ્પીટલમાં દાખલ થઇ સારવાર ન લેવાય તો મૃત્યુ પણ થઇ જાય છે.
આ ગંભીર તકલીફનું પ્રાથમીક નિદાન, પેશાબમાં એસીટોન જોવાની સરળ ટેસ્ટથી થઇ શકે છે. અને આ તપાસ દર્દી ઘરે પણ કરી શકે છે.