Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૧૯. કસરત : કેવી ?

ડાયાબિટીસમાં ખોરાક - ખોટી માન્યતાઓ

આપણાં ચંદુભાઇ છે ડાયાબિટીસના દર્દી અને ખૂબ ધ્યાન રાખે સારવામાં. શેર દલાલનો ધંધો છે અને કામ ટેન્શનવાળુ છે. વજન પણ વધારે છે. ફકત ૧૦૮ કિલો. જો સવારના ૮ વાગ્યે ચંદુભાઇને ઘેર પહોંચો તો ચંદુભાઇ મળે નાસ્તાના ટેબલ પર મોળી ચા અને સાથે ગરમાગરમ ગાંઠીયા.... સામે ખાખરા, ફણગાવેલા મગ, રોટલી બધું હોય ટેબલ પર પણ ચંદુભાઇ એને અડે પણ નહિં. જો ચંદુભાઇને પૂછીએ તેમના નાસ્તાનું રહસ્ય તો જવાબ મળે કે "મને તો સુગર છે એટલે ચણાના લોટની વસ્તુ સારી" ડાયાબિટીસમાં ગાંઠિયા જેવી તળેલી ચણાના લોટની વાનગી સારી એ કોણે નક્કી કર્યું?

જવાબ મળે કે ખબર નથી પણ બધા કહે છે આવી તો ઘણી ખોટી માન્યતાઓ છે જે ડાયાબિટીસના દર્દીઓના મગજમાં ઘર કરી ગઇ છે. આજે આ ખોટી માન્યતાઓ વિશે જાણી. પ્રખર હાસ્યવિદ્ જ્યોતિન્દ્ર દવેનું કહેવાનું છે કે "૪૦ વર્ષની ઉંમરે માણસ કાં તો વૈદ થાય છે અથવા મુરખ"

ડાયાબિટીસનું નિદાન થાય એટલે તુરંત દર્દીના સગાવ્હાલા, મિત્રો, પાડોશીઓ સલાહ આપવા આવી જાય છે. આ સલાહ ઘણી વખત ખોટી માન્યતાઓને પણ જન્મ આપે છે. જે નીચે પ્રમાણે છે.

(૧) "કારેલા ખુબ ખાવા અને કડવા લીમડાનો રસ પીવો"
 

આ માન્યતા સાવ ખોટી છે. ઘણાં દર્દી આખી જદગી કારેલાનું જ શાક ખાતા હોય છે. પરંતુ કારેલા કે લીમડાના રસથી ડાયાબિટીસ મટી જતો નથી.

(૨) "ભાત અને બટેટા કદી ન ખવાય"

આ માન્યતા સાવ ખોટી છે. ભાત અન બટેટામાં મળતી કેલેરીની ગણત્રી કરી અને જરૂરીયાત પ્રમાણે કેલેરી લેવી. ભાત જો ઓસાવેલ હોય તો વધુ સારૂં.

Next
  Untitled Document