Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન

ઈન્સ્યુલીનનની શોધનો ઈતિહાસ :-

આજથી ૯૦ વર્ષ પહેલાં ડાયાબિટીસના દર્દીનું જીવન બહુ મુશ્કેલ હતું. ડાયાબિટીસના દર્દીના શરીરમાં ઈન્સ્યુલીનના કાર્યની ઊણપ છે અને જાણવા છતાં બહારથી ઈન્સ્યુલીન પુરૂં પાડી શકાય તેવી કોઇ રીત નહોતી. આ કારણથી ડાયાબિટીસની એકમાત્ર સારવાર "ભૂખ્યા રહેવું" તે હતી, એટલું જ નહીં પણ મોટાભાગના દર્દીઓ સારવારને અભાવે મરણ પામતા હતાં ખાસ કરીને ડાયાબિટીસ ટાઇપ-૧નાં બાળ-દર્દીઓનું આયુષ્ય માત્ર ૧૦ થી ૧૨ વર્ષ હતું. આ વિપરીત પરિસ્થિતિમાં ઇ.સ.૧૯૨૩ માં બે યુવાન ડોકટરો બેન્ટીંગ અને બેસ્ટ સખત મહેનત અને લગનથી ઈન્સ્યુલીનની શોધ કરી અને તેનો દવા તરીકે વપરાશ શરૂ થયો. આ એક શોધથી ડાયાબિટીસની સમગ્ર પરિવાર બદલાઇ ગઇ અને કરોડો દર્દીઓને નવું જીવન મળ્યું.
 

.

ઈન્સ્યુલીનનું દવા તરીકે કાર્ય :-

દરેક માણસના શરીરમાં ઈન્સ્યુલીન હોય તે સ્વાદુપિંડમાં ઉત્પન્ન થઇ લોહીમાં ભળે છે. આ ઈન્સ્યુલન્ની મદદથી ખોરાકમાંથી બનેલ શર્કરામાંથી શરીરનો કોષોને શક્તિ મળે છે. આ ઈન્સ્યુલીન શરીરના "પાવરહાઉસ"ની ચાવી છે. જયારે ડાયાબિટીસ થાય ત્યારે શરીરમાં ઈન્સ્યુલીનની ખામી હોય છે અથવા ઈન્સ્યુલીનની કાર્યશક્તિ ઘટી જાય છે. જયારે આ ખામી વધારે પ્રમાણ હોય ત્યારે લોહીમાં શર્કરાનો ભરાવો થવાં લાગે છે અને શરીર નબળું પડવા લાગે છે.

આ બધી તકલીફોનો એક જ ઉપાય છે અને તે છે ઈન્સ્યુલીન

જો શરીરમાં ઈન્સ્યુલીન નથી તો શરીરને બહારથી ઈન્સ્યુલીન પુરૂ પાડવું એ

  Untitled Document